Operation Sindoor પર રાજકારણ, મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !

  • India
  • May 20, 2025
  • 1 Comments

Operation Sindoor promotion on railway tickets: અમેરિકાના દબાણમાં પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના નિર્ણયને લઈને કેન્દ્રની મોદી સરકાર ચારે બાજુથી ઘેરાયેલી છે. યુદ્ધવિરામની રીત અને સમય અંગે દેશવાસીઓમાં અસંતોષને ધ્યાનમાં રાખીને, કેન્દ્રની મોદી સરકારે હવે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર હવે રેલવે ટિકિટ પર ઓપરેશન સિંદૂરની જાહેરાત ચલાવી રહી છે. આ અંગે કોંગ્રેસે કેન્દ્ર પર સેનાની બહાદુરીનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઓપરેશન સિંદૂર પર રાજકારણ

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના મીડિયા સલાહકાર પીયૂષ બાબેલેએ સોશિયલ મીડિયા પર રેલ્વે ટિકિટ શેર કરી છે. જેમાં ઓપરેશન સિંદૂરની જાહેરાત જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે કે, ‘ઓપરેશન સિંદૂરએ આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે.’ એક નવું ધોરણ, એક નવું સામાન્ય, સ્થાપિત થયું છે. ટિકિટ નીચે નાના અક્ષરોમાં લખેલું- પીએમ મોદીનું 12મે 2025 ના રોજ રાષ્ટ્રને સંબોધન.

મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !

આ અંગે પિયુષ બાબેલેએ કહ્યું કે મોદી સરકાર જાહેરાતની ખૂબ જ શોખીન છે, તેનું ઉદાહરણ જુઓ કે રેલવે ટિકિટ પર મોદીની જાહેરાત તરીકે ઓપરેશન સિંદૂરનો ઉપયોગ થઈ રહ્યો છે. તેઓ સેનાની બહાદુરીને પણ એક ઉત્પાદનની જેમ વેચી રહ્યા છે. તેમની સાથે ફક્ત સોદાબાજી થઈ શકે છે, દેશભક્તિ નહીં.

સૈન્યને રાજકીય ચર્ચાઓથી દૂર રાખવાની પરંપરા તોડી

બાબેલેએ કહ્યું કે જ્યારથી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને મુશ્કેલીમાં મુક્યું છે, ત્યારથી ભાજપ ચૂંટણી રાજકારણ માટે સેનાની બહાદુરી અને બહાદુર સૈનિકોની બહાદુરીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. ભારતમાં હંમેશા એક સ્વસ્થ પરંપરા રહી છે કે સૈન્યને રાજકીય ચર્ચાઓથી દૂર રાખવામાં આવે છે. પરંતુ ભાજપ આ પરંપરા તોડી રહી છે અને સેનાના અભિયાનનો પ્રચાર સામગ્રી તરીકે ઉપયોગ કરી રહી છે.

બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાભ લેવાનો પ્રયાસ 

પીયૂષ બબલેએ વધુમાં કહ્યું કે, ભાજપના નેતાઓ દ્વારા અગાઉ પણ પાયાવિહોણા નિવેદનો આપવામાં આવ્યા હતા. કેટલાકે મંત્રી રહીને બેજવાબદાર ટિપ્પણીઓ કરી, તો કેટલાકે સાંસદ અને ધારાસભ્ય રહીને બેજવાબદાર ટિપ્પણીઓ કરી. વિદેશ મંત્રીએ પણ એવું નિવેદન આપ્યું છે જે યોગ્ય નથી, પરંતુ હવે ભાજપ અને કેન્દ્ર સરકારે એક ડગલું આગળ વધીને આ રાજકીય અભિયાનમાં રેલવેનો પણ સમાવેશ કર્યો છે. આગામી બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ રાજકીય લાભ માટે સેનાના શૌર્યનો ઉપયોગ કરી રહી છે, આ ખોટું છે.

જો ઓપરેશન સિંદૂરનો પ્રચાર કરવો હોય તો માત્ર મોદીનો જ ફોટો કેમ ?  

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ કહ્યું હતું કે, ‘આ સમગ્ર દેશ, દેશની સેના અને સૈનિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નમન કરે છે.’ ત્યારે હવે ‘ઓપરેશન સિંદૂર’ જેવા સંવેદનશીલ મુદ્દાને પણ પ્રચારની ચાદરમાં લપેટીને ‘બ્રાન્ડ મોદી’ની ચમક આપવામાં આવી રહી છે. ત્યારે હવે સેનાની બહાદુરીને પોતાના પ્રચાર માટે આવી રીતે ઉપયોગ કરવો કેટલો યોગ્ય કહેવાય ? એવું લાગે છે કે આ ઓપરેશનનો હીરો સેના નહીં, પરંતુ મોદી છે. પરંતુ એક સવાલ ઊભો થાય છે કે જે સૈનિકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ ઓપરેશનને સફળ બનાવ્યું, તેમનો ફોટો ક્યાં ગયો? જો ઓપરેશન સિંદૂરનો પ્રચાર કરવો જ હોત, તો તેમણે પોસ્ટર પર સૈનિકનો ફોટો લગાવવો જોઈતો હતો. પરંતુ રેલ્વે ટિકિટ પર ઓપરેશન સિંદૂરના ફોટામાં ન તો સેનાનો ફોટો છે કે ન તો ત્રિરંગાનો.આ તો એવું છે કે જાણે એક બોલિવૂડ ફિલ્મ બની, જેમાં હીરો સેના છે, પરંતુ પોસ્ટર પર ફોટો ડાયરેક્ટરનો!

શું આ સેનાના બલિદાનનું અપમાન નથી?

આ બધું જોતાં એવું લાગે છે કે સેનાની બહાદુરીને બદલે પ્રચારની ચમક વધુ મહત્વની બની ગઈ છે. સૈનિકોનું સાહસ એ દેશનું ગૌરવ છે, પરંતુ જો તેને પણ રાજકીય લાભનું સાધન બનાવવામાં આવે, તો શું આ સેનાના બલિદાનનું અપમાન નથી? ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા સેનાની છે, તો પોસ્ટર પર ફોટો કોનો હોવો જોઈએ? આ સવાલનો જવાબ દરેક ભારતીયના મનમાં ઉઠી રહ્યો છે.

આ પણ વાંચોઃ

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?

Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?

Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી

Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ

Dahod Mgnrega Scam: આખરે ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો ! મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસના સકંજામાં

Pakistan Target on Golden Temple: સેનાએ સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને કેવી રીતે બચાવ્યા?

મમતા બેનર્જીએ મિશન ‘પાક એક્સપોઝ’થી રાખ્યું અંતર, Yusuf Pathan નું પ્રતિનિધિમંડળ સાથે ન જવાનું શું છે કારણ?

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો

 ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?
    • June 20, 2026

    Uttar Pradesh Politics: ઉત્તર પ્રદેશના રાજકીય આકાશમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને એક અજીબ ગરમાવો છે. જોકે ચૂંટણીના ભણકારા હજુ થોડા દૂર હોઈ શકે છે, પરંતુ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી…

    Continue reading
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો
    • June 20, 2026

    Noida Labour Protest: ૧૩ એપ્રિલના નોઈડા શ્રમિક આંદોલનના ગુનાઈતિકરણની ઉતાવળમાં સરકાર અને પ્રશાસને એક મહત્વની વાત છુપાવી દીધી છે: શ્રમિકોએ શાંતિપૂર્ણ રીતે પોતાના અધિકારોની માંગણી કરી હતી, પરંતુ તેમને અવાજ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 3 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 6 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 8 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 7 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 9 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 7 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા